ભાવનગરમાં મુખ્યમંત્રીનો સંદેશ: પ્રકૃતિ અને પ્રગતિ માટે સંવેદના

 ભાવનગરમાં મુખ્યમંત્રીનો સંદેશ: પ્રકૃતિ અને પ્રગતિ માટે સંવેદના

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ


માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરના શ્રી સર્વેશ્વર ગૌધામ ખાતે યોજાયેલા ગૌ ગોષ્ઠી સમારોહમાં ભાગ લીધો અને સંવેદનાની મહત્તા, પશુઓના આરોગ્ય, પ્રાકૃતિક ખેતી, અને વિકસિત ગુજરાતનું દ્રષ્ટિકોણ વિશે વિચાર પ્રગટાવ્યા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો પરમાત્માના આશીર્વાદ પણ મળતા રહેશે."

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશુ આરોગ્યની ચિંતા અને પશુ આરોગ્ય મેળાના ઉદ્ઘાટનને વખાણ્યું.

આજે જમીન અને માનવ સ્વાસ્થ્યની બગડતી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની આવશ્યકતા પર ભાર મુક્યો.

વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકાસશીલ ગુજરાતની જરુરીયાત પર ભાર આપ્યો.















Comments